

ભગવદ્દ ગીતા એ ફક્ત ધર્મ ગ્રથ નહિ પણ તેને એક ઉચ્ચ મેનેજમેન્ટ ગુરુની શીખ પણ માનવામાં આવે છે. જીંદગીમાં બનતી દરેક ઘટનામાં કેવા પ્રકરણ નિર્ણયો લેવા અને કેવી રીતે વર્તવું તેનો સમગ્ર ચિતાર ભગવદ્દ ગીતાના 18 અધ્યાયમાં છે. વિશ્વની અનેક નામી -અનામી સંસ્થાઓમાં ભગવદ્દ ગીતા ભણાવવામાં આવે છે અને તેને અનેક કેસ સ્ટડી સાથે જોડીને ઉમદા નિર્ણયો લેવાયા છે.
હવે, અમદાવાદ સ્થિત અને વિશ્વ ભરમાં ખ્યાતનામ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ( IIM ) અમદાવાદે ભગવદ્ ગીતા પર ઓનલાઈન મેનેજમેન્ટ સર્ટિફિકેટ કોર્સ શરુ કર્યો છે. જેમાં સ્ટુડન્ટને ભગવદ્દ ગીતાના મેનેજમેન્ટ રુલ ભણાવવામાં આવશે. શ્રી કૃષ્ણએ ભગવદ્દમાં અનેક મેનેજમેન્ટ પાઠ શીખ્યા છે અને લાઈફ તેમજ બિઝનેસ મેનેજમેન્ટ માટે આ ધાર્મિક પુસ્તકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
આ કોર્સમાં 5 વર્ષથી વધુ એક્સપીરીયન્સ ધરાવતા વર્કિંગ પ્રોફેશનલ્સ અને ભવિષ્યના બિઝનેસ લીડર એડમિશન લઈ શકશે. જેમાં 2 અઠવાડિયાના આ કોર્સ બાદ, સર્ટિફિકેટ આપવામાં આવશે. ભગવદ્દ ગીતામાં ડિસિઝન મેકિંગ, લીડરશીપ, નેગોશિયેશન સહિત અનેક ટેક્નિક સામેલ છે. જેમાં સ્ટુડન્ટને વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક ઉદાહરણોથી જોડીને ભણાવવામાં આવશે.