
અમદાવાદઃ શહેરના જીવરાજપાર્કનો રહેવાસી, કે જેણે ચાર લાખ રૂપિયાનું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું, તેણે પોતાના બાળકનું એડમિશન સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કરાવ્યું હોવાનો ઉલ્લેખ, સોમવારે નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ કરવામાં આવ્યો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, RTE હેઠળ પ્રવેશ મેળવવામાં થયેલી ગેરરીતિની આ પહેલી ફરિયાદ છે.
વસ્ત્રાપુરમાં આવેલી જિલ્લા શિક્ષણ કચેરીમાં કામ કરતા 43 વર્ષના એજ્યુકેશન ઈન્સપેક્ટર ઈંદુ ચાવડાએ સેટેલાઈટ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી પ્રતીક ગજ્જરે RTE હેઠળ પોતાના બાળકનું એડમિશન લેવા માટે ગેરરીતિ આચરી હતી.
ચાવડાએ કહ્યું હતું કે, તેમને શાળાનું નિરીક્ષણ કરવાની અને વિવિધ પ્રકારની ગેરરીતિઓ અંગેની ફરિયાદોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
‘અમને 21 ઓગસ્ટના રોજ આનંદ નિકિતેન સ્કૂલમાં RTE હેઠળ વાલીએ ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ મળી હતી, જે બાદ મેં આ મામલે તપાસ શરૂ કરી હતી’, તેમ તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું ડોક્યુમેન્ટ્સની તપાસ કરતા ચાવડાને જાણવા મળ્યું હતું કે, ગજ્જરે પહેલા ધોરણમાં પોતાના બાળકનું એડમિશન કરાવવા આપેલા RTE ડોક્યુમેન્ટ્સમાં પોતાની વાર્ષિક આવક 1.50 લાખ રૂપિયા દર્શાવી હતી, જેના માટે તેણે આવકનો દાખલો પણ જમા કરાવ્યો હતો.
‘પરંતુ જ્યારે મેં તેનું ઈનકમ ટેક્સ રિટર્ન ચેક કર્યું હતું. ત્યારે મને જાણ થઈ હતી કે નાણાકીય વર્ષ 2020-2021માં તેણે 4,11,566 રૂપિયાનું આઈટી રિટર્ન ભર્યું હતું’, તેમ તેમણે ફરિયાદમાં નોંધાવ્યું હતું.